Taarak Mehtaના આ ફેમસ કેરેક્ટરે શૉને કહ્યું અલવિદા


Taarak Mehta Ka Ooltah Chashmah Champak Chacha: ટીવીનો પોપ્યુલર સિટકોમ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શૉની સ્ટોરી દર્શકોનું મનોરંજન કરવા ઉપરાંત એક ખાસ મેસેજ પણ આપે છે. તારક મહેતા શોના દરેક કલાકારની પોતાની ખાસ ફેન ફોલોઈંગ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ શોના ઘણા કલાકારોએ શો છોડી દીધો છે.

લોકોને સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે શોના મુખ્ય અભિનેતા તારક મહેતા એટલે કે શૈલેષ લોઢાએ શો છોડી દીધો. તે જ સમયે, અન્ય એક અભિનેતાએ શો છોડ્યો હોવાના રિપોર્ટ મળી રહ્યાં છે. આ કેરેક્ટરનું નામ જાણીને તમને ફરી એકવાર મોટો આંચકો લાગશે.

આ પણ વાંચો : દિશા પટનીનો આ ફોટો ભર શિયાળામાં કરાવશે ગરમીનો અહેસાસ, કોઝી-કોઝી થયું ઇન્ટરનેટ

ચંપક ચાચા એટલે કે બાપુજીએ શોમાંથી બ્રેક કેમ લીધો?

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલના બાપુજી એટલે કે ચંપકલાલ ઘણા સમયથી શોમાં જોવા મળ્યા નથી. શૉમાં બાપુજીનું પાત્ર એક્ટર અમિત ભટ્ટ ભજવી રહ્યા છે. ખરેખર, ચંપક ચાચા એટલે કે અમિત ભટ્ટ તાજેતરમાં સેટ પર શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કારણે તેણે શોમાંથી બ્રેક લીધો છે. ડોક્ટરે અમિતને બેડ રેસ્ટ કરવાની સલાહ આપી છે. આવી સ્થિતિમાં, ચંપક ચાચા છેલ્લા કેટલાક સમયથી શોમાં જોવા મળ્યા નથી અને ફેન્સ તેમને ખૂબ જ મિસ કરી રહ્યા છે.

ચંપક ચાચાના મેકર્સ સાથે ઝઘડાના સમાચાર

અમિત ભટ્ટે બ્રેક લીધો કે તરત જ મીડિયામાં એવા રિપોર્ટ્સ આવ્યા કે તેમનો મેકર્સ સાથે ઝઘડો થયો હતો. હકીકતમાં, ઘણા સમયથી, આપણે શોના કલાકારો સાથે મેકર્સનો ઝઘડો જોઈ રહ્યા છીએ. આવી સ્થિતિમાં, જો કોઈ કેરેક્ટર સ્ક્રીન પર જોવા ન મળે, તો દર્શકોને લાગે છે કે તેણે શો છોડી દીધો છે.

આ પણ વાંચો :Salman Khan: લગ્ઝરી કારથી લઇને આલિશાન ઘર સુધી, કોણ હશે સલમાન ખાનની 2300 કરોડની સંપત્તિનો વારસદાર?

આ જ કારણ છે કે અમિત ભટ્ટ સ્ક્રીન પર જોવા ન મળ્યા પછી પણ લોકોને એવું લાગવા લાગ્યું કે તેણે પણ મેકર્સ સાથે બબાલ કરી છે. જો કે હાલમાં, મેકર્સ અને અમિત ભટ્ટ તરફથી તેના શો છોડવા અંગે કોઈ માહિતી આવી નથી.

Published by:Bansari Gohel

First published:

Tags: Tarak Maheta ka Ulta chasma, Tarak Mehta ka Oolatah chashma, Tarak Mehta Ka ultah Chasmah, Tarak Mehtka Ka Ooltah Chashmah



Source link

Leave a Comment